મોરબીમાં બોપલીયા પરિવાર દ્વારા 14મીએ પાટોત્સવ તથા યજ્ઞનું આયોજન

- text


મોરબી : મોરબીમાં નવા ખારચીયાના બોપલીયા પરિવાર દ્વારા તારીખ 14મેને મંગળવારે 17મો વાર્ષિક પાટોત્સવ તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પાટોત્સવમાં તારીખ 13ના રોજ રાત્રે 9:15 વાગ્યે રાસ-ગરબા, તારીખ 14ના રોજ સવારે 7:25 વાગ્યે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત, બપોરે 11:15 કલાકે મહાપ્રસાદ અને સાંજે 4:00 કલાકે પુર્ણાહુતી તથા મહાઆરતી જેવા પ્રસંગો ઉજવાશે. આ યજ્ઞના મુખ્ય યજમાન મિલનકુમાર અને સુહાનીબેન બોપલીયા છે, તથા પાટલાના યજમાન મહેશભાઈ અને શિલ્પાબેન બોપલીયા, ભરતભાઈ અને મનીષાબેન બોપલીયા, અલ્પેશભાઈ અને હર્ષિદાબેન બોપલીયા તથા વિઠ્ઠલભાઈ અને ગૌરીબેન બોપલીયા છે. આ પાટોત્સવમાં બગથળા, મોરબી, ખારચીયા, રાજપર, વાઘપર જેવા ઘણા ગામોના દાતાઓએ મહાપ્રસાદ માટે દાન આપ્યું છે. આ પાટોત્સવમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા માટે બોપલીયા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, તથા વધુ માહિતી માટે 9825820142, 9099257395 તથા 9978205583 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text