મોરબીમાં હનુમાન જયતીએ પંચમુખી રોકડીયા હનુમાન મંદિરનો પ્રાણ પ્રીતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં હનુમાન જ્યંતી નિમિતે મોરબીના શનાળા રોડ પરના ગુ.હા.બોર્ડમાં આવેલા પંચમુખી રોકડીયા હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.18ના રોજ સાંજે 5-30 વાગ્યે પરબતભાઇ કરોતરાના નિવાસસ્થાને ધન્યાધીવાસ કાર્યક્રમ યોજાશે અને તા.19 એપ્રિલે હનુમાન જયતીની પાવન અવસરે આ હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમથી ઉજવાશે.જેમાં ભગવાનની શોભાયાત્રા, પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ, મહાપ્રસાદ, ધૂનભજન, ધર્મસભા અને સંતોના શુભાષીશનો કાર્યક્રમ યોજાશે.જેમાં ખોખરા હનુમાનજી ધામના કનકેશ્વરી દેવી, મહંત ભાવેશ્વરી બેન સહિતના સંતો મહતો તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઇ કુંડરિયા અને પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text