મોરબીમાં વડાપ્રધાન મોદી આજે વિડયો કોન્ફરન્સના માધ્યમથી મતદારો સાથે સંવાદ કરશે

- text


મોરબી :દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને દેશના મતદારોને રીઝવવા રાજકીય નેતાઓ અવનવા પ્રયાસો કરી રહ્યા છે.ત્યારે આજે 31 માર્ચે સાંજે 4 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મેં ભી.ચોકીદાર અભિયાન હેઠળ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના મતદારો સાથે સીધો સંવાદ કરશે અને દેશભરમાં 500 જ્યારે આ કાર્યક્રમ યોજાશે.ત્યારે મોરબીમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રદેશ અગ્રણી મહેશભાઇ કસવાલા હાજરી આપશે.તેથી કાર્યક્રમ સ્થળ હરભોલે હોલ, સરદારબાગ સામે શનાળા રોડ મોરબી ખાતે મતદારોને હાજર રહેવા આ કાર્યક્રમના ઇન્ચાર્જ કેતનભાઈ કાસુન્દ્રા અને સહ ઇન્ચાર્જ અનિલભાઈ જેઠલોજાએ અનુરોધ કર્યો છે.

- text