રવાપરમાં 28 એપ્રિલથી ભાગવત સપ્તાહનું આયોજન

- text


મોરબી: મોરબીના રવાપર ગામમાં તારીખ 28મી એપ્રિલથી 4 મે સુધી ભાગવત મહાપુરાણ કથાનું આયોજન આચાર્ય માધવેન્દ્રપ્રસાદ તથા હૃદયેન્દ્રપ્રસાદની આજ્ઞાથી સવારે 8:00 થી 11:00 અને બપોરે 3:30 થી 6:30 સુધી કરવામાં આવ્યું છે.

- text

આ ભાગવત મહાપુરાણનું આયોજન ભગવાનજીભાઈ નારાયણભાઈ ઝાલરિયાના પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું છે. આ કથાના મુખ્ય વક્તા સ્વામી કૈવલ્યસ્વરૂપદાસજી છે. આ કથા નવજીવન વિદ્યાલય, ન્યુ એરા પબ્લિક સ્કૂલની બાજુમાં, રવાપર-ધુનડા રોડ, રવાપર ખાતે યોજાશે. આ આયોજનનો લાભ લેવા માટે જાહેર જનતાને ભગવાનજીભાઈ નારાયણભાઈ ઝાલરિયા(મો. ન. 9428280016, 9979046437) તેમજ સમગ્ર ઝાલરિયા પરિવારે અનુરોધ કર્યો છે.

- text