મોરબીમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન

- text


રોકડીયા હનુમાનજી મંદિરના લાભાર્થે કાર્યક્રમ યોજાશે

મોરબી: મોરબીમાં આવેલા રોકડીયા હનુમાનજી મંદિરના લાભાર્થે રોકડીયા મિત્ર મંડળ દ્વારા તારીખ 2 ફેબ્રુઆરીને શનિવારે રાત્રે 9:30 વાગ્યે ભવ્ય સંતવાણી ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ભજનિક પરસોતમ પરિબાપુ અને ઈશ્વરભાઈ ભાલાણી, મુખ્ય મુખ્ય કલાકારો સંદિપભાઈ ડોડીયા, રાજદીપભાઈ ડોડીયા અને બેન્જોવાદક વિજયભાઈ મકવાણા તથા અન્ય કલાકારો છે. આ સંતવાણી ભજનનો કાર્યક્રમ રોકડીયા હનુમાનજી મંદિર, પ્રજાપત કારખાના પાસે, વી. સી. પરા અંદર, મોરબી ખાતે યોજાશે. આ સંતવાણીનો લાભ લેવા માટે મિત્ર મંડળ દ્વારા જનતાને અનુરોધ કરાયો છે.

- text

- text