જાલસીકા ગામે આઈશ્રી મોગલમાતાજીના નવરંગા માંડવાનું આયોજન

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે મોગલમાતાજી ગૌશાળા ખાતે મોગલમાના નવરંગા માંડવાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધજા આરોહણ, થાંભલી રોપણ, નવચંડી યજ્ઞ, માતાજીના સામૈયા તેમજ મહાપ્રસાદનું તા. ૨૧/૦૧/૧૯ ને સોમવારના રોજ આયોજન કરેલ છે તેમજ થાંભલી વધાવવાનું તા. ૨૨/૧/૧૯ના સવારે કરવામાં આવશે.

આ નવરંગા માંડવામાં ધર્મેશભાઈ રાવળદેવ અને અશોકભાઈ રાવળદેવ ડાક સાથે ડાકલાની રમઝટ બોલાવશે. કરના ભુવા શ્રી ધીરુભાઈ પરબતભાઈ લોખીલ ખાસ હાજરી આપશે.

માં મોગલના નવરંગા માંડવામાં તા. ૨૧/૦૧/૧૯ને સોમવારે સર્વે ધર્મપ્રેમી જનતાને પધારી માં મોગલના ચરણોમાં આશીર્વાદ લઇ શોભામાં અભિવૃદ્ધિ કરવાં લખુભા શિવુભા ઝાલા અને ઘનશ્યામસિંહ લખુભા ઝાલા વઘાસીયા વાળા તેમજ હિરા ભગત મોગલ માતાજી ગૌશાળા જાલસીકા વાળાએ આમંત્રણ આપેલ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text