મોરબી વિકાસ વિદ્યાલયની બાળાઓને પીકનીક જલસો કરાવતી ઓમ શાંતિ સ્કૂલ

- text


૧૫૦ બાળાઓને ભોજન કરાવી ૫૧ હજારનું અનુદાન અપાયું

મોરબી : મોરબી વિકાસ વિદ્યાલયની ૧૫૦ બાળાઓને પીકનીક જલ્સા કરાવી ઓમ શાંતિ સ્કૂલ દ્વારા ૫૧ હજારનું અનુદાન પણ આપવામાં આવ્યું હતું.

મોરબીના આરટીઓ પાસે આવેલ ઓમ શાંતિ વિદ્યાલયના મેનેજીંગ ડિરેકટર ટી.ડી.પટેલ દ્વારા વિકાસ વિદ્યાલયની ૧૫૦ દીકરીઓને શાળા સંકુલ ખાતે આમંત્રણ આપી બોલાવવામાં આવી હતી અને જુદી – જુદી રમતો રમાડી બપોરે સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું હતું.

- text

આ તકે ઓમ શાંતિ સ્કૂલના એમ.ડી. ટી.ડી.પટેલના સુપુત્રી શિવાલીબેનના હસ્તે વિકાસ વિદ્યાલયના સંચાલક ભરતભાઇ નિમાવત અને તેમના પત્ની દમયંતિબેનને રૂ.૫૧ હજારનું અનુદાન આપી સન્માન કર્યું હતુ. વિકાસ વિદ્યાલય દ્વારા ઓમ શાંતિ સ્કૂલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


- text