મોરબીના ખરેડા ગામે ભગતબાપાનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


રાજકોટ અને મોરબીમાં વસવાટ કરતા તમામ ખારેડાવાસીઓને ધનતેરસે માદરે વતન આવવા અનુરોધ

મોરબી : મોરબીના ખરેડા ગામે આગામી તા.5 નવેમ્બરને ધનતેરસના રોજ નકલંક મંદિરના પૂ.ભગતબાપાની પુણ્યતિથિ અને ભાવપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવનાર હોય ખારેડા ગામના તમામ વતનીઓને પધારવા અપીલ કરવામાં આવી છે.

- text

નકલંક મંદિર ખરેડા ગામના મહંત પૂ.ભગતબાપાની પુણ્યતિથિ પ્રસંગે આગામી તા.5 નવેમબરને આસો સુદ તેરસ ( ધનતેરસ )ના રોજ ભાવપ્રતિષ્ઠા પ્રસંગ ઉજવવામાં આવનાર છે જેથી રાજકોટ, મોરબી સહિતના શહેરોમાં વસવાટ કરતા ખરેડા ગામના વતનીઓને આ પ્રસંગે હાજર રહી પ્રસાદ લેવા નકલંક મંદિર અને સમસ્ત ગામ દ્વારા આમંત્રણ પાઠવવમાં આવ્યું છે.

- text