મોરબીમાં આવતીકાલે ૫૧ ફૂટ ઉંચા રાવણનું દહન

- text


બહુચર બાળ મંડળ દ્વારા રાવણ દહનની સાથે – સાથે રામ – રાવણ યુધ્ધ નાટક ભજવાશે

મોરબી : સમગ્ર રાજ્યમાં આજે દશેરા મનાવી રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં આવતીકાલે રાત્રે ૯.૩૦ કલાકે રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

અહંકાર ઉપર સત્યના વિજયને વધાવવાની પરંપરા રૂપે દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના બહુચર બાળ મંડળ દ્વારા કેનાલ રોડ ઉપર દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચે આવેલા ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

બહુચર બાળ મંડળ આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં આવતીકાલે રાત્રે ૯.૩૦ કલાકે રામ – રાવણ યુધ્ધ નાટક ભજવવામાં આવશે અને ત્યાર બાદ ૫૧ ફૂટ ઉંચા રાવણનું દહન કરવામાં આવશે જેથી તમામ નગરજનોએ આ કાર્યક્રમનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

- text

 

- text