મોરબી : અપહરણ અને દુષ્કર્મ કેસમાં ચાર વર્ષથી નાસતો ફરતો શખ્સ ઝડપાયો

- text


મોરબી એલસીબી ટીમે જામજોધપુર જામવાડીના આરોપીને માળીયા ફાટક પાસેથી દબોચ્યો

મોરબી : મોરબીમાં અપહરણ અને દુષ્કર્મ ગુજારવાના કેસમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબી ટીમે જામનગર જિલ્લાના જામજોધપુર જામવાડી વાળાને મોરબી માળીયા ફાટક નજીકથી ઝડપી લીધો હતો.

- text

જિલ્લા પોલીસ વડા દ્વારા ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસને નાસતા ફરતા આરોપીને પકડી પાડવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલસીબીના પો.કોન્સ. યોગીરાજર્સિહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૭૩/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ મુજબના ગુનાના કામે ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી રમેશ ઉર્ફે રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિંધુ નાનજીભાઇ ચાવડા ઉ.૩૦ રહે.જામવાડી તા.જામજોધપુર જી.જામનગર વાળાને મોરબી માળીયા ફાટક પાસેથી એલ.સી.બી.
મોરબીએ પકડી પાડેલ હતો.

- text