મોરબી ખાતે સૈન્યમાં જોડાવા માટે વિનામુલ્યે તાલીમ વર્ગ

- text


મોરબી : ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે રાજકોટ મુકામે આર્મી રીક્રુટીંગ ઓફીસર જામનગર દ્વારા ભરતી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જે ઉમેદવારો શારીરિક ક્ષમતા કસોટીમાં પાસ થયેલ છે અને લેખિત પરીક્ષામાં બેસવા માટેના એડમિટ-કાર્ડ મળેલ છે, તેવા ઉમેદવારો લેખિત પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે અને સફળતા મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા ૧૫ દિવસના ની:શુલ્ક, બીન-નિવાસી તાલીમ વર્ગનું આયોજન મોરબી ખાતે કરવામાં આવનાર છે.

- text

આ તાલીમમાં રોજની ૪ કલાકની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા આપવામાં આવશે.સદર તલીમ વર્ગમાં જોડાવા માટે ઉમેદવારોએ એડમીટ-કાર્ડની નકલ અને આધાર કાર્ડની નકલ સાથે તાત્કાલિક રોજગાર વિનિમય કચેરી, મોરબીનો સ્વખર્ચે રુબરુ સંપર્ક સાધવો. તેમ બી.ડી.જોબનપુત્રા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવેલ છે.

 

- text