પાટીદાર શહીદ યાત્રા આજે મોરબી જિલ્લામાં : હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે

- text


હળવદના ઘનશ્યામગઢ ગામે શહીદ પાટીદાર પંકજભાઈ પટેલના નિવાસ સ્થાનેથી શહીદ યાત્રાનો પ્રારંભ

મોરબી : પાટીદાર અનામત આંદોલન સમિતિ આયોજિત પાટીદાર શહીદ યાત્રા આજરોજ મંગળવારે મોરબી જિલ્લામા ફરશે. હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે શહીદ પાટીદાર પંકજભાઈ પટેલના નિવાસ સ્થાનેથી સવારે ૮ વાગ્યે આ શહીદ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામ ખાતેથી આજે મંગળવારે સવારે ૮ વાગ્યે પાટીદાર શહીદ યાત્રા શડું થઇ હતી. જે ટીકર, ઘાટીલા, વજેપર, ખાખરેચી, અણિયારી ચોકડી, જેતપર, જસમતગઢ, રંગપર-બેલા, પીપળી, મહેન્દ્રનગર, મોરબી-૨ અને બાદમાં મોરબી શહેરમાં આવશે.

- text

આ અંગે મોરબી જિલ્લા પાસ સમિતિએ જણાવ્યું કે મોરબીમાં પાટીદાર શહીદ યાત્રાનું આગમન થયા બાદ શહેરના વીસી ફાટક, રેલવે સ્ટેશન, નવલખી રોડ, વાવડી ચોકડી, પંચાસર રોડ, રાજપર કેનાલ રોડ, અવધ સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી અને જીઆઇડીસી નાકે થઈને સરદાર પટેલની પ્રતિમા, બાપાસિતારામ ચોક સહિતના વિસ્તારોમાં ફરશે. તેમજ શાહિદ યાત્રા દરમિયાન પાસ નેતા હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહેશે તેમ પાસ આગેવાન મનોજ પનારાએ જણાવ્યું હતું.

 

- text