મોરબી પાલિકાના નવનિયુક્ત પ્રમુખે પૂ. જલારામ બાપાના મંદિરે શીશ ઝુકાવ્યું

- text


કેતનભાઈ વિલપરા સહિતના અગ્રણીઓએ મંદિરમાં ચાલતા સદાવ્રતની પ્રસાદી ગ્રહણ કરી

મોરબી : મોરબી પાલિકાના નવનિયુક્ત પ્રમુખ કેતનભાઈ વિલપરાએ સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા. સાથે પૂ.જલારામબાપા સમક્ષ શીશ ઝુકાવીને તેમના આશીર્વાદ લીધા હતા. આ સાથે તેઓએ મંદિરમાં ચાલતા સદાવ્રતમાં પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

શહેર મા ઘણા સમય થી ચાલતા રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા નો અંત આવ્યો છે. નગર પાલીકા ના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી મા કોંગ્રેસે ફરી વખત વાપસી કરી છે ત્યારે નગરપાલીકા ના પ્રમુખ પદે પાટીદાર અગ્રણી કેતનભાઈ વીલપરા ની નિમણૂંક થઈ હતી. કેતનભાઈ સહીત ના આગેવાનો એ સરદાર પટેલના સ્ટેચ્યુને હાર-તોરા કરી પૂષ્પાંજલી અર્પણ કર્યા બાદ મોરબી અયોધ્યાપૂરી રોડ સ્થિત પૂ. જલારામ બાપાના મંદીર ખાતે બાપા ના ચરણો મા શિશ ઝુકાવી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

- text

આ તકે ગીરીશભાઈ ઘેલાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુ ભાઈ કાવર, ઉપપ્રમુખ રામ ભાઈ રબારી, કાઉન્સીલર કે.પી. ભાગીયા, બીપીન ભાઈ દેત્રોજા, ભાવીન ગીરીશ ભાઈ ઘેલાણી, નવીન ભાઈ ઘુમલીયા, શહેર કોંગ્રેસ મહામંત્રી ચિરાગ ભાઈ રાચ્છ સહીતનાઓએ કેતનભાઈ સાથે પૂ. બાપા ના ચરણો મા શિશ ઝુકાવ્યુ હતુ. ત્યાર બાદ મોરબી જલારામ મંદીરે ચાલતા સદાવ્રતમા પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

 

- text