મોરબીમાં પૂ.સેનજી મહારાજની જન્મજયંતિની વાળંદ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી

- text


મોરબી : મોરબીમાં સમસ્ત વાળંદ સમાજ દ્વારા પૂજ્ય સંત સેનજી મહારાજની ૭૧૮ મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી જેમાં બહોળી સંખ્યામાં વાળંદ સમાજના લોકો ભાવભેર જોડાયા હતા.

- text

પૂ.સંત સેનજી મહારાજની ૭૧૮ મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સમસ્ત વાળંદ સમાજ દ્વારા મોરબીના પંચમુખી હનુમાનજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી સમાજની વાડી ખાતે સમાપન પામી હતી જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમ સમસ્ત વાળંદ સમાજના મંત્રી શાંતિલાલ અઘારા અને પ્રમુખ મનસુખભાઇ લાંઘણોજા ની યાદીમાં જણાવ્યું છે.

 

- text