- text
સામાજિક કાર્યકરોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરી રજુઆત
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાણી વિતરણના સમયમાં અનિયમિતતાના હોવાની ફરિયાદો ઊઠી છે આ વિસ્તારના સામાજિક કાર્યકરોએ સમયસર પાણી વિતરણ કરવાની માંગ કરી છે.
- text
સામાજિક કાર્યકરો હરીશભાઈ રાતડિયા અને જયેશભાઈ મકવાણાએ મોરબી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી કે શહેરના વોર્ડ નં.૪ માં આવેલા પરશુરામ નગર -સો ઓરડી વિસ્તારમાં પાણી વિતરણ કરવાના સમય ના ઠેકાણા જ નથી ઘણી વખત મોડી રાત્રે પાણી વિતરણ થાય છે જેથી કયારેક પાણી વેડફાય છે આથી આ વિસ્તારમાં પાણી વિતરણ કરવાનું ટાઈમ ટેબલ ગોઠવી રાત્રિના ૯ થી ૧૦ સુધીમાં પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ છે.
- text