મોરબીમાં ગુજકેટની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ગુજકેટ પરીક્ષાનો આજ થી પ્રારંભ થયો છે. ગુજકેટની પારીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ ચૂકી છે. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ગુજકેટ પરીક્ષા માટે મોરબી જિલ્લામાં સ.વ.પ. કન્યા વિદ્યાલય-મોરબી, ધી.વી.સી.ટેકનીકલ હાઈસ્કુલ-મોરબી, ડી.જે.પી.કન્યા વિદ્યાલય-મોરબી, નવયુગ વિદ્યાલય-મોરબી, નિર્મલ વિદ્યાલય-મોરબી, દોશી એમ.એસ.એન્ડ ડાભી એન.આર.હાઈસ્કુલ-મોરબી, સેન્ટમેરી હાઈસ્કુલ-મોરબી, નિલકંઠ વિદ્યાલય-મોરબી, નવજીવન વિદ્યાલય-મોરબી, સાર્થક વિદ્યાલય મોરબી-૨ સેન્ટરો પસંદ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

- text

 

- text