ટંકારામાં ઉમિયા પરિવાર સમિતિ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ૪૬ નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાયા

- text


ટંકારા : ટંકારામાં ઉમિયા પરિવાર સમુહ લગ્નન સમિતિ દ્વારા છઠ્ઠો સમુહ લગ્નોત્સવ ઘામઘુમથી ઓરપેટ કન્યા વિઘાલય ખાતે અરવિંદ ભાઇ બારૈયા અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ૪૬ યુગલોએ પ્રભુતામા પગલાં માંડ્યા હતા.

આ સમારોહ માં નંકલક મંદિર બગથળા ના મહંત દામજી ભગત, મહષિ દયાનદ સમારોહ ટ્રસ્ટ ના આચાર્ય રામદેવજી , ધારાસભ્ય લાલિતભાઈ કાગથરા, પૂર્વ ઘારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં હરિદ્વાર થી પઘારેલ સંતો સત્યાનંદજી, અમૃતાનંદજી, વિકાસાનંદજી તથા અઘ્યક્ષ અરવિંદ ભાઇ બારૈયાએ નંવદપતિ ને આશીર્વાદ આપ્યા હતા.

- text

ઉમિયા પરિવાર સમુહ લગ્નન સમિતિ ના કચરાભાઇ ઘોડસરા હીરાભાઈ ફેફર ,દિપક ભાઈ સુરાણી, વલમજીભાઇ રાજપરા, રમેશભાઈ કૈલા ,ગોરઘનભાઇ ચિકાણી , ડાયાલાલ બારૈયા, કેસવજીભાઇ જીવાણી , વિનોદભાઈ સુરાણી , વાત્સલ્ય મનીપરા સહિત વિવિધ સમિતિ ના સેવકો તથા ગામડે ગામડેથી આગેવાનો કાયૅકરો દ્ધારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 

- text