મોરબી : ટ્રાન્સપોર્ટ ધંધાર્થી અને ટ્રક ચાલકનું અપહરણ બાદ છુટકારો

- text


અકસ્માતના મુદ્દે વળતર મેળવવા અપહરણ કરાયું હતું : 10 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક ટ્રક ને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં નુકશાનીના 10,000 ચુકવવા મુદ્દે 10 શખ્સે ટ્રક ચાલક અને ટ્રાન્સપોર્ટ સંચાલકનું અપહરણ કરી ઢોરમાર માર્યો હતો.બનાવની તાલુકા પોલીસ સ્ટેંશનમાં ફરિયાદ નોંધી હતી
મોરબીના રફાળેશ્વર નજીક એક ટ્રક પાછળ એક બાઈક ઘુસી જતા બાઈક ચાલકસલીમ મહબૂબને ઇજા હોંચી હતી તેમજ બાઇકમાં નુકસાન થતા ટ્રક ચાલક પાસેથી બાઇકસવાર યુવાને રૂ 10,000ની માંગણી કરી હતી જોકે બાઇકમાં નુકશાની વધું હોય આટલી મોટી રકમ આપવા મુદ્દે આનાકાની કરતા તૌફીક,ઈરફાન,દાઉદ,મકબુલ,અફઝલ ,અનિલ ,શાહરુખ,પારસ અને ગેલા સહિતના શખ્સ રિક્ષામાં ધસી આવ્યા હતા ટ્રક ચાલક ચીતરામન ચૌધરી અને ટ્રાન્સપોર્ટ ધંધાર્થી રાજેશ મુકેશ ચૌધરીનું છરીની અણીએ રિક્ષામાં અપહરણ કરી મારમાર્યો હતો બાદમાં તેમને 10,000 રૂપિયા ચૂકવી દેતા તેમને છોડીમૂકયા હતા બનાવ અંગે તાલુકા પોલીસે ફરિય્યદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે વધુ તપાસ પીએસઆઇ એન.જે.રાણા ચલાવી રહયા છે.

- text

- text