વૈધના ખાટલે : મામલતદાર કચેરીમાં કર્મચારીઓએ સ્વખર્ચે લાઈટો નાખી

- text


તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ ન મળ્યું, અંતે કર્મચારીઓએ પોતે જ અંધારપટ દૂર કર્યો

મોરબી : મોરબીના તાલુકા સેવા સદનમાં આવેલા મામલતદાર કચેરીની લોબીમાં ઘણા સમયથી લાઈટો ન હતી. જેથી અહીં અંધારપટ છવાયેલો રહેતો હતો આ અંગે તંત્રનું અનેક વખત ધ્યાન દોરાયું હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા અહીંના કર્મચારીઓ અને અન્ય લોકોએ પોતાના ખર્ચે લાઈટો ફિટ કરાવી છે.

- text

મોરબી તાલુકા સેવા સદનની કચેરીમાં છેલ્લા ઘણા સમય થી લોબીમાં અંધારપટ છવાયેલો રહેતો હતો. અહીંના કર્મવહારીઓ તેમજ અન્ય લોકોએ અનેક વખત તંત્રને લાઈટ નાખવાનું કહ્યું હતું. ઘણા સમય રાહ જોઈ હોવા છતાં લોબીનો અંધારપટ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યો ન હતો. જેથી અંતે કંટાળેલા કર્મચારીઓ તેમજ અન્ય લોકોએ સ્વખર્ચે અહીં લાઈટો ફિટ કરવીને અંધારપટ દૂર કર્યો છે.

- text