મોરબીમાં પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે ૧૫ એપ્રિલે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

- text


મોરબી: અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા તથા મોરબી જીલ્લા સમિતી દ્વારા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું ૧૫મી એપ્રિલના રોજ વરિયા મંદિર સોલડી મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ધો.૧૦ની પરીક્ષા બાદ પોતાની કારકિર્દી કઈ દિશા તરફ વાળવી તે પ્રશ્ન વિદ્યાર્થીઓને સતત મૂંઝવતો રહે છે ત્યારે પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે ખાસ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

કારકિર્દી માર્ગદર્શન સેમીનારમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે વિસ્તૃત વિગત તેમજ રજીસ્ટ્રેશન માટે બી એમ વરિયા મો.નં.૯૯૨૫૬૬૪૦૬૩, હરેશભાઇ મચ્છોયા મો.નં.૯૮૨૪૨૨૫૨૬૪, વિપુલ પ્રજાપતિ મો.નં.૯૯૧૩૦૫૩૨૪૯ ઉપર સંપર્ક કરવો.

 

- text