હળવદમાં વીજકર્મચારીની બેદરકારીથી યુવાનનું મોત

- text


મોરબી : હળવદના ગોલસણ ગામે રહેતા યુવાનનું વિજકર્મીની બેદરકારીથી મોત નિપજતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ગોલાસણ માં રહેતા સુરેશભાઈ કોળી ૨૪ નામનો યુબન વિજપોલ ઉપર ચડી કામ કરી રહ્યો હોવા છતાં વીજ કર્મચારી દ્વારા જાણી બુજીને વીજપુરવઠો ચાલુ કરવામાં આવતા સુરેશભાઈનું વિજશોક લાગતા મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે ભીખાભાઇ ભાવુભાઈ રાતૈયાએ વિજકર્મીની બેદરકારી સબબ ગુન્હો નોંધાવતા હળવદ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text

]

- text