મોરબી નગરદરવાજા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

- text


મોરબી : મોરબીના નગર દરવાજા વિસ્તારમાં પખાલીશેરી નજીક બારશાખ રાજપુત શેરીમાંથી સગીરાનું અપહરણ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાનું અપહરણ થતા આરતીબેન વિજયભાઇ મકવાણા ઉ.૨૨, ધંધો-ઘરકામ વાળાએ મંગેશ ઘનશ્યામરાવ વાડબુદે રહે. ગામ-બેલૌના વોર્ડ નં.૦૫, તા.નરખેડ, જી.નાગપુર, મહારાષ્ટ્ર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોતાની નાની બહેનને મંગેશ ઘનશ્યામરાવ વાડબુદે રહે. ગામ-બેલૌના વોર્ડ નં.૦૫, તા.નરખેડ, જી.નાગપુર, મહારાષ્ટ્ર વાળો લલચાવી ફોસલાવી લગ્ન કરાવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયાનું જણાવ્યું છે.

- text

આ મામલે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text