- text
નવલખી બંદરના કેપ્ટન અશ્વિન સોલંકી એ પાઇલોટ બોટ ગીતાંજલિમાં દરિયા વચ્ચે જઈ ને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો
મોરબી : 69માં પ્રજાસતાક પર્વ નિમિત્તે દેશભરમાં જ્યારે રાષ્ટ્ર ધ્વજ તિરંગા ને સલામી આપવામાં આવી હતી ત્યારે નવલખીના દરિયામાં પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ને સલામી આપવામાં આવી હતી. નવલખી બંદરના કેપ્ટન અશ્વિન સોલંકી એ પાઇલોટ બોટ ગીતાંજલિમાં દરિયા વચ્ચે જઈ ને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજ ને સલામી આપી હતી. આ તકે નવલખી બંદર ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- text