- text
મોરબી : પ્રજાસતાક પર્વ નિમિતે મોરબીમાં “સ્વસ્થ શરીર, સ્વસ્થ યુવા , સ્વસ્થ ભારત “ના સ્વામી વિવેકાનંદના સુત્રને લોકો સુધી પોંહચાડવા માટે ફીઝીયોફીટ સેન્ટર દ્રારા આજે “વોકેથોન “ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર સ્વસ્થ જીવન શૈલી અંગેનું માર્ગદશન અને જાગૃતિ માટે વોકેથોન રેલી યોજી હતી.. આ રેલીમાં ફીઝીયોફીટ ના સંચાલક ડો.ભાવિન ચંદે તથા ફીઝીયોફીટની ટીમના ૨૦૦ લોકો આ રેલી માં જોડાયા હતા.
- text
- text