આર્યસમાજની રાજ્યકક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીની વિદ્યાર્થીની પ્રથમક્રમે

- text


મોરબી : તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ આર્યસમાજ આયોજિત વકતૃત્વ સ્પર્ધામાં મોરબીની વિદ્યાર્થીની પ્રથમ ક્રમે ઝળકી મોરબીનું નામ રોશન કર્યું છે.

આર્ય સમાજ મંદિર અમદાવાદ ખાતે યોજાયેલ પ્રાંત કક્ષાની એટલે કે ગુજરાત રાજય કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં કુ.દેવાંગી શૈલેષભાઈ સાણજાની વકૃત્વ શક્તિ ફરી એક નવી ઉંચાઈ પર પહોચી હતી અને પ્રથમ આવી હતી.

- text

આ સિદ્ધિ બદલ દેવાંગીનું સમગ્ર ભારત આર્ય સમાજનાં સભાપ્રધાન માનનીય શ્રી સુરેશચંદ્ર અગ્રવાલ નાં શુભહસ્તે શીલ્ડ, પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

- text