ટંકારામાં ભાજપમાં બગાવત કરનાર અરવિંદ બારૈયાએ રાઘવજીભાઈ ને ટેકો જાહેર કર્યો

- text


મોરબી:મોરબી જિલ્લાની ૬૬ – ટંકારા બેઠક માટે દાવેદારી કરનાર અરવિંદ બારૈયાની ટીકીટ કપાતા દોષનો ટોપલો સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપર ઢોળી બગાવતના સુર છેડનાર અરવિંદ બારૈયા શાંત પડી ગયા છે.

- text

ગઈકાલે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી અપક્ષ લડવાની જાહેરાત કરનાર અરવિંદ બારૈયા આજે સવારે અચાનક જ ગુસ્સો ભૂલી જઈ રાઘવજીભાઈ ગડારાના સમર્થનમાં પાર્ટી લાઈનમાં આવી ગયા હતા.

- text