મોરબી જિલ્લામાં ચૂંટણીમાં ઉપયોગ થનાર વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

- text


મોરબી : ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૧૭ ની મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકનું મતદાન તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ થનાર છે આ મતદાન શાંતિપૂર્ણ યોજાય અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું સારી રીતે પાલન થાય તે હેતુથી કેતન પી. જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લો મોરબી એ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ હેઠળ મળેલ સત્ત્તાની રુએ જાહેરનામું પ્રસિધ્ધ કરી કોઈ પણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સબંધિત વિધાનસભા મતદાર વિભાગમાં કે સમગ્ર મોરબી જિલ્લામાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટટ કરાવવાના રહેશે અને રજિસ્ટર કરાવેલ વાહનોની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રિન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાયથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન વિધાનસભા મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. તથા વપરાશમાં લેવાયેલા વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરાવાનો રહેશે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી તેવો હુકમ ફરમાવેલ છે.
આ નિયંત્રણો યાંત્રિક શક્તિથી કે અન્ય કોઈ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આ વાહનોમાં મીની બસ, સ્ટેશન વેગન,ટેક્સી, ખાનગી કાર,ટ્રક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, ઓટોરીક્ષા, સ્કુટર વિગેરેનો સમાવેશ થાય છે આ જાહેરનામું તા.૨૦/૧૨/૨૦૧૭ સુધી અમલમાં રહેશે. તેમજ મોરબી જિલ્લાના તમામ શહેર અને ગ્રામ્ય વિસ્તારને લાગુ પડશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

- text

 

- text