માળીયા નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

- text


માળીયા : માળીયા મિયાણા નજીક સુરજબારી પુલ પાસે આજે સવારે ખાનગી બસ અને ટ્રેઇલર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર અનેક મુસાફરોને નાની મોટી ઇજા પોહચી હતી.

માળીયા સુરજબારી પુલ પાસે ખાનગી બસ અને ટ્રેઇલર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેમાં બસ ને વધુ નુકસાન થયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આ અક્સમાતમાં સવાર અનેક લોકોને નાની મોટી ઈજાઓ પોહચી છે. જેમાંથી અમદાવાદના અબુભાઈ શરીફભાઇ શેખ (ઉ.55) અને ભુજના શરીફાબેન શકીલભાઇ (ઉ.40)ને મોરબી સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જયારે અન્ય ઇજાગ્રસ્તોને માળીયા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- text

 

- text