મોરબીમાં ત્રિ-દિવસીય શાંતિસ્નાત્ર મહોત્સવ યોજાશે

- text


મોરબી : મોરબીના શાહ પરિવાર દ્વારા રાજકોટ મોરબી હાઇવે પર આવેલ ચંપાપુરી તીર્થ ખાતે આજથી ત્રિદિવસીય શાંતિ સ્નાત્ર મહોત્સવનું આયોજન કરાયું છે. અનસૂયાબેન છબીલદાસ શાહ પરિવાર દ્વારા શાહ છબીલદાસ દુર્લભજીની જન્મ શતાબ્દી નિમિતે શાંતિ સ્નાત્ર નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ચંપાપુરી તીર્થ ખાતે પંચ કલ્યાણ પૂજા આવતીકાલે બપોરે પાટલા પૂજન અને રાત્રે 8 કલાકે ભક્તિ સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.અને તા.3 ને રવિવારે સવારે 8 વાગ્યે શાંતિ સ્નાત્ર તેમજ બપોરે 12 વાગ્યે દશાશ્રીમાળી વાડી મોરબી ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક સ્વામીવાત્સલ્ય અને વિશા શ્રીમાળી વણિક જ્ઞાતિ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.

- text