રફળેશ્વર મેલા માટે સ્પેશિયલ ડેમુ ટ્રેન દોડશે

- text


મોરબી : આગામી તારીખ ૨૦થી ૨૨ ઓગસ્ટ દરમિયાન રફાળેશ્વર મહાદેવ મંદિર અમાસના મેળા સંદર્ભે વેસ્ટર્ન રેલવે રાજકોટ દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

- text

રાજકોટ રેલવે ડિવિઝનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રફાળેશ્વર ખાતે અમાસના મેળા સંદર્ભે ભક્તજનોની સુવિધા માટે ૨૦ થી ૨૨ ઓગષ્ટે ૩ દિવસ માટે વાંકાનેર-મોરબી-વાંકાનેર વચ્ચે ખાસ વધારાની ડેમુ ટ્રેન દોડવામાં આવશે. આ દિવસો દરમિયાન મોરબીથી બપોરે ૨ વાગ્યે ડેમુ ટ્રેન ઉપડશે જે ૨.૧૪ મિનિટે રાફાળેશ્વર પહોંચશે અને ૨.૫૦ કલાકે વાંકાનેર પહોંચશે. બાદમાં વાંકાનેરથી બપોરે ૩ વાગ્યે ટ્રેન ઉપડશે અને ૩.૨૪ કલાકે રફાળેશ્વર પહોંચી ત્યાંથી ૩.૫૦ મોરબી પહોંચશે.

 

- text