નવલખી બંદરે જુમાવાડી ફિશરમેનોનો વર્ષો જૂનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો

- text


ગુજરાત મેરીટાઈમ બોર્ડ નવલખી બંદર દ્વારા જુમાવાડી ફિશરમેનો માટે પીવાના પાણીનાં સ્ટેન્ડ પોઈન્ટનું ધારાસભ્ય, કલેક્ટરના હસ્તે લોકાર્પણ

ઉપસ્થિત અધિકારીઓ અને આગેવાનોને જુમાવાડી ફિશરમેનો દ્વારા માળખાકીય સુવિધા આપવા રજૂઆત કરાઈ

મોરબી : ઘણાં વર્ષોથી નવલખી બંદર પાસે જુમાવાડીમાં રહેતા માછીમારોને પીવાના શુદ્ધ મીઠાં પાણીનો પ્રશ્ન હતો. એ સમસ્યા નિવારવા આજ રોજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કલેકટર આઈ.કે. પટેલ, નવલખી પોર્ટનાં ઓફિસર કેપ્ટન એ.બી. સોલંકી, કાર્યપાલક ઈજનેર અશ્વિનભાઈ રાયજાદા અને જયદીપ કંપનીનાં દિલુભા જાડેજા હસ્તે પીપળીયાથી નવલખી પોર્ટમાં જતી પાણીની લાઈનમાં ત્રણ સ્ટેન્ડ મૂકી આ સમસ્યાનો હલ લાવવામાં આવ્યો હતો. આ સમસ્યાનો ઉકેલ આવે એ માટે પોસ્ટ ઓફિસર સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ ખુશીનાં પ્રસંગે જુમાવાડી ફિશરમેન વસાહતમાં રહેતા રહેવાસીઓએ ઉપસ્થિત ધારાસભ્ય અને અધિકારીઓને આવાસ યોજના હેઠળ જુમાવાડીમાં આવાસો બનાવી આપવા, રહેણાકોની આસપાસ મોરમ (માટીથી) ભરતી કરાવી આપવા,વિજળી  લાઈટની સુવિધા કરવા, રહેણાકોની જગ્યાને ફિશરમેનનાં નામે પ્લોટિંગ કરી ગામતળે ચડાવી આપવા, શિક્ષણ અને આરોગ્ય કેન્દ્રો સ્થાપવા, તેમજ જુમાવાડી વસાહતનાં એરિયામાં જેટીનાં તાત્કાલિક નિર્માણ માટેની અરજ કરી હતી.

- text