મોરબી : ખેતીવાડી ખાતાની ગુણવત્તા નિયંત્રણની ટીમ દ્રારા ૩૧ વિક્રેતાઓને નોટીસ

- text


જંતુનાશક દવાનો ૧.૮૦ લાખ રૂ.નો ૩૬૮ કિ/લી.નો જથ્થો અટકાવતું અને બિયારણ અને દવાના મળીને ૫ નમુનાઓ પ્રયોગશાળામાં પૃથ્થકરણ માટે મોકલતી ખેતીવાડી ખાતા નિયંત્રણ ટીમ

મોરબી : હાલ વાવણીના સમયમાં ખેડુતો ખાતર, દવા તેમજ બિયારણની ધુમ ખરીદી કરી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં તા. ૨ જુનથી ૬ જુન દરમિયાન ખેતીવાડી ખાતાની ગુણવત્તા નિયંત્રણની ટીમ દ્રારા કુલ બાવન વિક્રેતાઓ તેમજ ૩ ખાતર ઉત્પાદકોની મુલાકાત કરી બિયારણ અને જંતુનાશક દવાના નિયમોના ભંગ બદલ ૩૧ વિક્રેતાઓને કારણદર્શક નોટીસ પાઠવી બિયારણનો ૧૫.૫૦ લાખની કિમતનો કુલ ૧૩૦૮ કી.ગ્રા જેટલો જથ્થો અટકાવ્યો હતો. જ્યારે જંતુનાશક દવાનો ૧.૮૦ લાખની કિમતનો કુલ ૩૬૮ કિગ્રા/લીટરનો જથ્થો અટકાવામાં આવ્યો હતો. વધુમાં બિયારણ અને દવાના મળીને કુલ ૫ નમુનાઓ લઈ પ્રયોગશાળામાં પૃથ્થકરણ માટે મોકલાવેલ છે. ખેતીવાડી નિયંત્રણ ટીમ દ્વારા જણાવ્યું છે કે, પાઠવેલ નોટીસનો નિયત સમયમાં ખુલાસો નહીં કરનાર વિક્રેતા સામે તંત્ર દ્રારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- text


⁠⁠⁠⁠

- text