મોરબીના જુના જીવાપર ગામે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના જુના જીવાપર ગામ સમસ્ત દ્વારા તારીખ 24 થી 26 એપ્રિલ શ્રી લક્ષ્મીનારાયણ : શિવ પરિવાર મંદિરનું નવનિમાર્ણ કાર્ય પૂર્ણ થતાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે.

- text

બુધવારથી શુક્રવાર સુધી યોજાનારા આ મહોત્સવમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં તારીખ 24 એપ્રિલ બુધવારના રોજ સવારે ગણપતિ પૂજન તેમજ સાંજે 6:30 કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25 એપ્રિલ ગુરુવારના રોજ સવારે 7 કલાકે દેવોની પજન વિધિ તેમજ બપોરે 3 કલાકે યજ્ઞ, રાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. તારીખ 26 એપ્રિલ શુક્રવારના રોજ સવારે 11:30 કલાકે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સ્થાપના કરી મહાઆરતી કરવામાં આવશે. આ ત્રિદિવસીય મહોત્સવમાં મહાપ્રસાદ બપોરે 11 કલાકે તેમજ સાંજે 6:30 કલાકે રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે જુના નવા જીવાપરના સૌ ભક્તોને દર્શન તેમજ મહાપ્રસાદના લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text