મોરબી ખોખરાધામ ખાતે સુંદરકાંડ, રામાયણ પાઠ સાથે હનુમાન જયંતિની ઉજવણી

- text


મોરબી : મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે આજે હનુમાન જન્મોત્સવ નિમિતે સુંદરકાંડ, રામાયણ પાઠ સહુત વિવિધ કાર્યક્રમો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

હનુમાન જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ ખોખરાધામ ખાતે ભજન -સંતવાણીનુ આયોજન કરાયું હતું જેમાં રામદાસ ગોંડલીયા અને ભગવતીબેન ગોસ્વામી દ્વારા હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી. જ્યારે આજે હનુમાન જન્મોત્સવ નિમિતે સવારથી જ પૂજા અર્ચના અને ધ્વજાપૂજા કરવામાં આવી હતી. સાથે જ સવારથી જ સુંદરકાંડના પાઠ પણ કરવામાં આવ્યા અને અખંડ રામાયણ પાઠ પણ ચાલે છે જે 1 વર્ષ સુધી કરવામાં આવશે.

- text

વધુમાં બપોરે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ પ્રસાદ લીધો હતો. ભક્તોની જનમેદની વચ્ચે હર્ષલ્લાસ સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

- text