મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા રામનવમીની ઊજવણી કરાઇ હતી 

- text


મોરબી : મોરબીમાં રામનવમી નિમિત્તે ઠેર ઠેર રામભક્તો દ્વારા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે પરશુરામ યુવા ગૃપ દ્વારા હિન્દુ સંગઠન આયોજિત શોભાયાત્રામાં ભાગ લઈ રામ લલ્લાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત પરશુરામ યુવા ગૃપ દ્વારા એચડીએફસી ચોક ખાતે શ્રીરામ ભગવાનને હાર તોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ ભકતજનો દ્વારા અનેરા ઉત્સાહ સાથે રામનવમી શોભાયાત્રાને વધાવવામાં આવી હતી.

- text

- text