દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું મહત્વનું યોગદાન : રાજ્યપાલ

- text


મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લઈ ફેક્ટરીના ઉત્પાદનો તથા બનાવટ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. સાથે સાથે મોરબીના સીરામીક ઉદ્યોગે ભરેલી વિકાસની હરણફાળની તેઓએ પ્રસંશા કરી હતી. તેમજ આ ઉદ્યોગનાં વિવિધ પાસાઓની જાણકારી મેળવી હતી. ગુજરાત તથા દેશના વિકાસમાં આ ઉદ્યોગનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે તેમ તેઓએ જણાવ્યું હતું.

મોરબી ખાતે રાજ્યપાલ સાથે આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર જી.ટી.પંડ્યા, એસ.પી. ડૉ.ગીરીશ પંડ્યા, ભરતભાઈ વરમોરા, પ્રમોદભાઈ વરમોરા, ચમનભાઈ દેત્રોજા, અશોકભાઈ પટેલ વગેરે જોડાયા હતા અને રાજ્યપાલજીને ફેક્ટરીની કાર્યપ્રણાલી તથા ઉત્પાદન સહિતની બાબતોથી અવગત કરાવ્યાં હતા.

- text

- text