લાલપર ગામે પિતૃઓના મોક્ષાર્થ ૨૧મીથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ  

- text


દરરોજ રાત્રે ૯:૦૦ કલાકે ધૂન ભજન સંતવાણીના કાર્યક્રમો : ૨૩મીએ માં બાપને ભૂલશો નહીં નાટક ભજવાશે

મોરબી : મોરબીના લાલપર ગામે રામજી મંદિર ચોક ખાતે કેશવજીભાઈ ભવનભાઈ બરાસરા પરિવાર દ્વારા ૨૧મીથી પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

લાલપર ગામ રામજી મંદિર ચોક ખાતે કેશવજીભાઈ ભવાનભાઈ બરાસરા, દીપકભાઈ બરાસરા, વિપુલભાઈ બરાસરા દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કારતક સુદ ૯ તા.૨૧/૧૧/૨૦૨૩ મંગળવારના રોજ કથા પ્રારંભ થશે. કારતક સુદ ૧૫ તા. ૨૭/૧૧/૨૦૨૩ સોમવારના રોજ કથા પૂર્ણાહુતિ થશે. દરરોજ બપોરે ૨:૦૦ કલાક થી સાંજના ૬:૩૦ કલાક સુધી કથા યોજાશે.

આ જ્ઞાન યજ્ઞના વ્યાસપીઠે પ્રસિદ્ધ કથા પ્રવક્તા શાસ્ત્રી નીતિનભાઈ જોશી ગુરુ વશિષ્ઠ નાથજી (થાણા ગલોલ વાળા) પોતાની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન રોજ રાત્રે ૯:૦૦ કલાકે ધૂન ભજન સંતવાણીના કાર્યક્રમો યોજાશે અને તા.૨૩/૧૧/૨૦૨૩ ને ગુરૂવારની રાત્રે ૯:૦૦ વાગ્યે જામજોધપુરના સુપ્રસિદ્ધ નાટક મંડળ દ્વારા માં બાપને ભૂલશો નહીંનું નાટક ભજવવામાં આવશે.

- text

લોક ડાયરાના કલાકાર આરાધક છગન ભગત, ધૂન આરાધક અજય પ્રજાપતિ, ઢોલક વાદક સતીશગીરી ગોસ્વામી, રાજ ગઢવી, ભૂમિ આહીર, ગોપાલ સાધુ, સાગરદાન ગઢવી, અલ્પાબેન પટેલ, ઓમ ગુરુદત્ત ગૌશાળા કડતાલ ધૂન મંડળના કલાકારો સાથે મારુતિ સાઉન્ડના સથવારે સંતવાણીના સુર ગાજશે. આયોજકો દ્વારા જાહેર જનતાને આ જ્ઞાન યજ્ઞનું રસપાન કરવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text