મોરબીમાં તાંડવ નર્તન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા નૃત્યાંજલી કાર્યક્રમ યોજાયો 

- text


બાળાઓએ રજૂ કરેલા ભારત નાટ્યમના કાર્યક્રમો જોઈ હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થયા

મોરબી : મોરબીમાં છેલ્લા અઢાર વર્ષથી ઓમ શાંતિ સ્કૂલ ખાતે રાજકોટનું તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સના કલાસ ચાલી રહ્યા છે આ ડાંસ ક્લાસ દ્વારા મોરબીમાં નૃત્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બાળાઓએ ભક્તિભાવ પૂર્વક ભારત નાટ્યમના કાર્યક્રમો રજૂ કરીને હાજર સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા હતા.

જીજ્ઞેશ સુરાણી દ્વારા ચાલતા તાંડવ નર્તન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ દ્વારા મોરબીના સ્વામિનારાયણ સંસ્કાર ઈમેજિંગ હોલ ખાતે આ નૃત્યાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળાઓએ રામાયણ, મહાભારતના પાત્રો, હનુમાન ચાલીસા, શિવતાંડવ અચુતમ કેશવમ, મહિસાસુર મર્દીની જેવા સ્ત્રોતો પર કલાત્મક રીતે નૃત્યો રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં દિનેશભાઈ વડસોલાએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ આપણા ભારતના ભવ્ય ભાતીગળ વારસાની જાળવણી કરી રહ્યું છે અને અત્યારની આ પેઢીને બૉલીવુડના છુલ્લક ગીતોનું ઘેલું લાગ્યું છે ત્યારે જીજ્ઞેશ સુરાણી અને ક્રિષ્ના સુરાણી નૃત્યમ્ મયમ જગત સર્વમ્ ના સૂત્ર સાથે દેશ અને વિદેશમાં પોતાનો કલા વારસો બાળકોને શીખવી રહ્યા છે ત્યારે બંને ગુરુજીઓને ધન્યવાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેવેનભાઈ રબારી (મેન્ટોર, યંગ ઇન્ડિયા ગ્રૂપ-મોરબી) જાણીતા વકીલ કાજલબેન ચંડીભમર, મયુરીબેન કોટેચા (પ્રમુખ, ઇન્ડિયન લાયન્સ કલબ- મોરબી) તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપની લેડીઝ વિંગના સદસ્યો અલકાબેન દવે, ધરતીબેન બરાસરા વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માટે યંગ ઇન્ડિયા ગ્રૂપ તરફથી સહકાર પણ મળ્યો હતો.

- text

- text