મોરબીના શ્રમિક પરિવારની બે બાળાનું અપહરણ

- text


13 વર્ષ અને 8 વર્ષની બે પુત્રીઓ ગુમ થયા બાદ એક શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીરામીક ફેકટરીમાં રહીને મજુરી કામ કરતા શ્રમિક પરિવારની બે બાળાનું અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શ્રમિક પરિવારની 13 વર્ષ અને 8 વર્ષની બે પુત્રીઓ ગુમ થયા બાદ એક શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.

મોરબી નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કામ કરતા શ્રમિક પરિવારની 13 વર્ષ અને 8 વર્ષની બે પુત્રીઓ ગત તા.12ના રોજ ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જો કે શ્રમિક પરિવારે શોધખોળ કરતા તેમની બે પુત્રીઓનું રાજકોટના કોઠારીયા રોડ ઉપર રણુજાનગરમાં આવેલ વંશરાજનગરમાં રહેતો રજાક નામનો શખ્સ જાતીય શોષણ કરવાના ઇરાદે અપહરણ કરી ગયાનું બહાર આવ્યું હતું. આથી શ્રમિક પરિવારે પોતાની બે પુત્રીઓનું રાજકોટનો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે પોકસો એકટ સહિતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

- text