પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનો 11માં વર્ષમાં પ્રવેશ, આજે રાત્રે હાસ્ય દરબારનો કાર્યક્રમ

- text


મોરબી : ભારતભરમાં એકમાત્ર મોરબીની પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંસ્થા તા. ૨ જુલાઈના 10 વર્ષ પુર્ણ કરી 11 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે. જે નિમિતે આજે રાત્રે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સેવા કેન્દ્ર ખાતે આજે તા. 2 ના રાત્રે 9:30 કલાકે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડના હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલકજી ડો. જયંતિભાઈ ભાડેસીયા, સાંસદ, કચ્છ-મોરબી વિનોદભાઈ ચાવડા, સાંસદ-રાજકોટ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્ય- કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કલેક્ટર જી. ટી. પંડ્યા, એસપી રાહુલભાઈ ત્રિપાઠી, જીલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં હાજર રહેવા સી. યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ તેમજ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text