લાયન મેમ્બર સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પ યોજાયો

- text


મોરબી: લાયન્સ કલબના લાઇવ વાયર અને સેવાકીય પ્રવૃતિમાં હમેશ અગ્રેસર રહેતા અને “માનવ સેવા એજ પ્રભુ સેવા” સુત્રને સત્કર્મ દ્વારા સાર્થક કરનાર લાયન સ્વ. ધવલભાઈ રાંકજાની આજ રોજ 17 જૂને તૃતિય પુણ્યતિથી નિમિતે તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા લાયન્સ ક્લબ મોરબી નઝરબાગ દ્વારા સંસ્કારધામ બ્લડ બેંકનાં સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં 85 બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમાં સ્વ. ધવલ રાંકજાના પરિજનો તેમજ લાયન્સ ક્લબના તુષાર દફતરી, રવિન્દ્ર ભટ્ટ, રમણીકભાઇ ચંડીભમર, પિયુષ સાણજા, જયેશભાઈ દેસાઈ, દિપક મારવણીયા તથા સમીર ગાંધી હાજર રહ્યા હતા અને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

- text

- text