વાવાઝોડાની પરિસ્થિતિમાં મોરબી આપ અગ્રણી સેવામાં ખડેપગે

- text


મોરબી : બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ આગમચેતીના ભાગરૂપે સેવાકીય કાર્ય થઈ રહ્યા છે. સરકારી તંત્રની સાથે સાથે અનેક સંસ્થાઓ અને આગેવાનો પણ આ સેવામાં આગળ આવ્યા છે. ત્યારે મોરબીના આમ આદમી પાર્ટીના અગ્રણી પંકજભાઈ રાણસરિયા પણ જનસેવા માટે આગળ આવ્યા છે.

આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના અગ્રણી પંકજભાઈ રાણસરિયા બિપોરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે દિવસ રાત ખડેપગે છે. બિપોરજોય વાવાઝોડાની અસરને પહોંચી વળવા તેમજ ગંભીર કોઈ જાનહાનિ ના થાય તેને ધ્યાને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ પંકજ રાણસરિયાની ટીમ દ્વારા કાચા મકાનમાં રહેતા લોકોને જરૂરી જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે તેમજ આ તમામ લોકોને જ્યાં સુધી વાવાઝોડાની અસર હશે ત્યાં સુધી જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં કોઈ મોરબી માળિયાના કોઈ પણ ગામમાં હજુ કોઈ લોકોને કોઈ પણ મદદની જરૂર પડે તો પંકજભાઈ રણસરિયાની ટીમનો સંપર્ક કરશે તો ફૂડ પેકેટ કે અન્ય કોઈ પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. ઇમરજન્સી માટે ગમે ત્યારે 97255 55555માં ફોન કરવા જણાવાયું છે.

- text

- text