- text
મોરબી : મોરબીમાં મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે આવતીકાલે સોમવારે સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સમાજના લોકોને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.
મહારાણા પ્રતાપની જયંતિ નિમિતે સનાતન હિન્દૂ સમાજની સનાતન સ્વાભિમાન યાત્રા નામે આવતીકાલે બુધવારે વિશાળ રેલીનું આયોજન કરેલ છે. આ રેલી નગર દરવાજાથી શરૂ થઈને મહારાણા પ્રતાપ સર્કલ સુધી યોજાશે. જેમાં હિન્દૂ સમાજના તમામ લોકોને મોટી સંખ્યામાં જોડાવા આયોજકો દ્વારા અપીલ કરાઈ છે.
- text
- text