મોરબીમાં નવરંગ નેચર કલબ દ્વારા રવિવારે ઓર્ગેનિક ખાદ્ય વસ્તુ, રોપા, માળાનું રાહતદરે વેચાણ  

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં મોરબી નવરંગ નેચરલ કલબ રાજકોટ દ્વારા તા. 14ને રવિવારે સવારે 8 થી 1 ઓર્ગેનિક વસ્તુઓ તેમજ છોડ, માળા સહિતની વસ્તુઓ રાહતભાવે આપવામાં આવશે.

જેમાં ઈંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબ, મોગરો, ચાંપો, ગલગોટા, સ્ટ્રોબેરીના રોપા રાહત ભાવે મળશે. મજબૂત ટકાઉ હવા ઉજાસ વારા દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે 70 રૂપિયામાં મળશે. દરેક જાતના ઓસડીયા, હાથે ખાંડેલા ચુર્ણ પાવડર, સિંધા નમક, શુધ્ધ ચોખ્ખુ મધ મળશે.કાળી માટી ના રસોઈ બનાવા માટે હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ફુલ છોડના કુંડા , ઓર્ગેનિક ગાય આધારિત સજીવ ખેતીથી બનેલ જીરૂ ધાણા રાઈ, મેથી, ગૌમુત્રની ફીનાઈલ, ગાયની છાસ મળશે. જેનો લાભ લેવા નવરંગ નેચરલ કલબ રાજકોટ પ્રમુખ વી ડી બાલા મો.નં. 9427563898, લવજીભાઈ પ્રજાપતિ મો.નં. 9925369465ની યાદીમાં જણાવાયું છે.

- text

- text