મોરબીના ભડીયાદ ફીડર હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરીને કારણે બપોરે ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો ઠપ્પ રહેશે

મોરબી : મોરબીના ભડીયાદ ફીડર હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ રહેશે.જેમાં નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરીને કારણે બપોરે ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો ઠપ્પ રહેશે.

- text

તારીખ ૧૯.૦૪.૨૦૨૩ ના બુધવાર ના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ભડીયાદ ફીડર સવારે ૭:૦૦ થી બપોરના ૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં સો ઓરડી, માળિયા વનાલિયા, શક્તિ સોસા., ચામુંડા નગર, વરિયા નગર, ગાંધી સોસા., સાયન્સ કોલેજ,ઉમિયા નગર વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારો પાવર સપ્લાય બંધ રહેશે. કામ પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text