વાંકાનેર શહેરમાં ફરી દીપડાએ મારણ કર્યું

- text


વન વિભાગે પાંજરું ગોઠવ્યું હોવા છતાં ગાયત્રી માતાજી મંદિર નજીક વાડામાં ઘુસી પાંચ બકરા મારી નાખ્યા

વાંકાનેર : વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડો હાહાકાર મચાવી રહ્યો છે, ગત અઠવાડીએ માલધારીના વાડામાં ઘુસી સાતેક પશુઓનું મારણ કર્યા બાદ ગઈકાલે ફરી ગાયત્રી માતાજી મંદિર વિસ્તારમાં દીપડો ત્રાટક્યો હતો અને પાંચ પશુઓનું મારણ કર્યું હતું.

વાંકાનેર વન વિભાગના અધિકારી નરોડીયાના જણાવ્યા મુજબ વાંકાનેર શહેરમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા પંકજભાઈ વણેકિયા નામના આસામીના પશુ વાડામાં દીપડો ત્રાટક્યો હતો અને વાડામાં બાંધેલા પાંચ બકરાનું મારણ કર્યું હતું. નોંધનીય છે કે, અઠવાડિયા પૂર્વે આજ વિસ્તારમાં દીપડાએ સાતેક પશુઓનું મારણ કરતા વનવિભાગે દીપડાને પાંજરે પુરવા પાંજરું પણ ગોઠવ્યું છે છતાં અઠવાડિયાના સમયગાળામાં દીપડાએ ફરી તરખાટ મચાવતા આ દીપડાને ઝડપી લેવા વન વિભાગે કાર્યવાહી શરૂ કરી પશુ માલિકને વળતર ચૂકવવા કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text