મોરબીના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા મારૂતી યજ્ઞ કરાયો

- text


મોરબી : મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે મારૂતી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષ પણ હનુમાન જયંતીના દિવસે યજ્ઞનું આયોજન કરાયું હતું. આ વર્ષે યજ્ઞમાં યજમાન પદે મૂળ મુળ મોટીબરાર હાલ મોરબીના પંકજભાઈ પ્રવિણભાઇ ભટૃ તથા મનીષભાઇ પ્રહલાદભાઈ ભટૃ બેઠા હતા અને તેઓએ યજ્ઞમાં આહુતિ આપી હતી.

આ યજ્ઞમાં શાસ્ત્રી તેજભાઈ ભટ્ટ તેમજ અન્ય ભૂદેવો દ્વારા ધાર્મિક વિધિ કરાવવામાં આવી હતી. આ તકે મોરબીની આસપાસના વિસ્તારમાં રહેતા તમામ ભટ્ટ પરીવારના લોકો ત્યાં હાજર રહ્યા હતા આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે બળવંતભાઈ એલ. ભટ્ટ, જે.પી. ભટ્ટ, ભીખુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ ભટ્ટ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text