હળવદ લોહાણા સમાજના પ્રમુખ અમૃતલાલ અનડકટ (બાબુદાદા)નું નિધન

- text


લોહાણા મહાજન વાડી ખાતે શુક્રવારે બપોરે ૪ થી ૬ સુધી બેસણું

હળવદ : હળવદ લોહાણા સમાજના પ્રમુખ અને સામાજિક આગેવાન અમૃતલાલ લાલજીભાઈ અનડકટ(બાબુદાદા)નું આજે નિધન થયું છે. જેને પગલે સમગ્ર હળવદ પંથકમાં શોક વ્યાપી ગયો છે.

હળવદમાં વર્ષો સુધી સમાજના સેવા કાર્યોની ધૂણી ધખાવનાર અને લોહાણા સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેનાર તેમજ ભવાની ગ્રુપના મોભી તરીકે સતત માર્ગદર્શન આપનાર અમૃતલાલ લાલજીભાઈ અનડકટ(બાબુદાદા)નું આજે દુઃખદ અવસાન થયેલ છે. આજે તેઓની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. બેસણું તા.૭/૪/૨૦૨૩ને શુક્રવારે બપોરે ૪ થી ૬ લોહાણા મહાજન વાડી હળવદ ખાતે રાખેલ છે.

- text

- text