માળીયાના સરવડ ગામે ઘડીયા લગ્ન લેવાયા

- text


માળીયા : મોરબી જિલ્લામાં ઘડીયા લગ્ન અંગે જાગૃતિ આવી રહી છે અને ઘડીયા લગ્નો લેવાઈ રહ્યા છે. ત્યારે માળીયા તાલુકાના સરવડ ગામે આજ રોજ પાટીદાર સમાજમાં વધુ એક ઘડીયા લગ્ન લેવાયા હતા.

મોરબી જિલ્લાના માળીયા(મી.) તાલુકાના સરવડ ગામે પટેલ સમાજવાડીમાં લાલપર નિવાસી સ્વ. નરભેરામભાઇ વાસદડીયાની સુપુત્રી સીમા તથા સરવડ નિવાસી ઘનશ્યામભાઈ વિલપરાના સુપુત્ર દિપની સગાઇ તથા શ્રીફળ વિધિ પ્રસંગમાં ઉપસ્થિત વડીલો અને ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ઉપ પ્રમુખ મણીલાલ સરડવા, સહ મંત્રી મગનભાઈ અઘારા, કારોબારી સભ્ય ઠાકરશીભાઈ કલોલા, નિવૃત તલાટી મંત્રી હરજીભાઈ દેકાવડીયા, રાજકીય આગેવાન અરવિંદભાઈ વાસદડીયાએ સમાજમાં ધામધૂમ વાળા લગ્નમાં સમય, શકિત, ધનનો વ્યવ બચાવવા ઘડીયા લગ્નની પ્રેરણા આપતા તમામે આ વાતને વધાવી પુર્ણ વિધિ સાથે વધુ એક ધડીયા લગ્ન લેવાયા હતા. સમૂહ લગ્ન સમિતિના આગેવાનોએ રામ ચરિત માનસ અને ભગવત ગીતા પુસ્તક ભેટ આપી નવ દંપતીને આશીર્વચન પાઠવ્યા હતા.

- text

- text