બાજરો બચાવવા મોરબીમાં કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

- text


માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે બાજરીનો વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ

મોરબી : વર્તમાન સમયમાં બાજરાના ઉપયોગ સતત ઘટી રહ્યો છે ત્યારે બાજરા વપરાશને પ્રોત્સાહન આપવા માટે મોરબી માધાપર કન્યા શાળા ખાતે બાજરાની વિવિધ વાનગી બનાવવા સ્પર્ધા યોજાઈ હતી.

મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પીએમ.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય? વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે તેમજ હાલમાં ભોજનમાં બાજરાનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે ત્યારે બાજરાનો ઉપયોગ લોકો વધુને વધુ કરે અને એમડીએમમાં પણ બાજરાનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશ યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં મોરબીમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર મિત્તલબેન રાધુરા, માળીયામાંથી મેર સારબાઈ હાસમ ભાઈ અને રજીયાબેન હનીફભાઈ જેડા ટંકારા તાલુકામાંથી પી.ટી.ભગદે, અને એમ.એ.પરમાર, વાંકાનેર તાલુકામાંથી રમીલાબેન ગોસ્વામી અને મયુરીબેન આચાર્ય, હળવદમાંથી હેતલબેન વૈષ્ણવ અને ધર્મિષ્ઠાબેન વૈષ્ણવ વગેરે પ્રથમ અને દ્વિતિય નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોએ બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, વઘારેલો રોટલો,ઢોકળા, મસાલા રોટલો વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી

સ્પર્ધામાં કુલ 6 નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 600 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા પ્રથમ નંબર મિત્તલબેન રાધુરા લૂંટાવદર શાળાને 10000/- રૂપિયા, મેર સારબાઈ હસમભાઈ દ્વીતીય નંબરને 5000/- રૂપિયા અને તૃતીય નંબર પી.ટી.ભગદેવને 3000/- રૂપિયાના ચેકથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા સ્પર્ધામાં ડી.સી.પરમારની ઉપસ્થિતમાં મયુરીબેન ઉપાધ્યાય સીડીપીઓ, પાયલબેન ડાંગર,યોગેશભાઈ ડાભી,વિદ્યાર્થીના વાલી,શૈલેષભાઈ કાલરીયા સી.આર.સી. કો.ઓ. કો.ઓર્ડીનેટર કાળુભાઈ વી.પરમાર અધ્યક્ષ એસ.એમ.સી. વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને કુલ 600 ગુણમાંથી ગુણ આપ્યા હતા.

આ તકે, મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ ધ્વનિબેન તેમજ જયેશભાઈ જાની તેમજ મહાદેવભાઈ ઉંટવડિયા,બળવંતભાઈ સનારીયા, ચંદુભાઈ વ્યાસ મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના કાર્યકર્તા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

- text

 

- text